સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 1 અને 2 - સંપૂર્ણ નોંધ અને પ્રેક્ટીસ ટેસ્ટ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 1 & 2 ની સંપૂર્ણ નોંધ. NMMS તૈયારી માટે 30 ગુણની પ્રેક્ટીસ ટેસ્ટ PDF ડાઉનલોડ કરો. ભારતમાં યુરોપિયનોનું આગમન અને બ્રિટિશ શાસન વિશે જાણો.
સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 1 અને 2
સંપૂર્ણ નોંધ અને 30 ગુણની પ્રેક્ટીસ ટેસ્ટ
NMMS પ્રેક્ટીસ ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ (ટેસ્ટ - 7)
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટીસ ટેસ્ટ - પ્રકરણ 1 & 2
પ્રકરણ 1 અને 2 પર આધારિત 30 ગુણની NMMS પ્રેક્ટીસ ટેસ્ટ:
ટીપ્સ: પ્રેક્ટીસ ટેસ્ટ આપતા પહેલા ઉપર આપેલી ક્વિઝ રમી લો. આથી તમારી તૈયારી વધુ મજબૂત બનશે અને તમે વધુ સારો સ્કોર કરી શકશો.
પ્રકરણ ૧: ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
યુરોપિયન પ્રજાનું આગમન
ભારતની આર્થિક સમૃદ્ધિ પ્રાચીનકાળથી વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. યુરોપમાં ભારતનાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરીમસાલા, તેજાના, ગળી જેવી વસ્તુઓની ખૂબ જ માંગ હતી. ઈ.સ.1453માં તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લેતાં યુરોપ માટે ભારત સાથેના વેપારનો જૂનો જમીન માર્ગ બંધ થયો. આથી યુરોપિયન પ્રજાને મરીમસાલા જેવી તાતી જરૂરિયાતવાળી વસ્તુઓ મળતી બંધ થઈ. પરિણામે, યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવાં રાષ્ટ્રોએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા પ્રયત્નો કર્યા.
- પોર્ટુગીઝો (ફિરંગી): ઈ.સ.1498માં વાસ્કો-દ-ગામાએ આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો અને તે કાલિકટ બંદરે પહોંચ્યો. તેમણે ઈ.સ. 1503માં કોચી અને ઈ.સ.1505માં કન્નુરમાં કિલ્લા બાંધ્યા. ઈ.સ. 1530માં ગોવા તેમની રાજધાની બની.
- ડચ (વલંદા): હોલેન્ડના ડચ લોકો પણ વેપાર કરવા ભારત આવ્યા. તેમણે બંગાળમાં (ઈ.સ. 1632) અને મલબાર વિસ્તારમાં (ઈ.સ. 1650) પોતાનો વેપાર જમાવ્યો.
- અંગ્રેજો: ઈ.સ.1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તેમણે જહાંગીર પાસેથી ફરમાન લઈ ઈ.સ.1613માં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી. ઈ.સ. 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી.
- ફ્રેન્ચો: ઈ.સ. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈ.સ.1668માં સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી.
પ્રકરણ ૨: ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757થી ઈ.સ. 1857)
વેપારથી સંસ્થાન તરફ: મુખ્ય યુદ્ધો
- પ્લાસીનું યુદ્ધ (23 જૂન, 1757): અંગ્રેજોએ પોતાની કોઠીની કિલ્લેબંધી કરતાં બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા સાથે સંબંધો કટૂતાપૂર્ણ બન્યા. પ્લાસી નામના સ્થળે થયેલા યુદ્ધમાં નવાબની સેના હારી ગઈ, અને ભારતમાં અંગ્રેજ વિજયનો માર્ગ શરૂ થયો.
- બક્સરનું યુદ્ધ (22 ઓક્ટોબર, 1764): મીરકાસીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજો સામે લડત આપી, પરંતુ અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા.
અંગ્રેજ શાસનની જમીન મહેસૂલ પદ્ધતિઓ
- કાયમી જમાબંધી: કોર્નવૉલિસે ઈ.સ.1793માં દાખલ કરી. જેમાં જમીનદારને જમીન અને મહેસૂલના હક મળ્યા.
- રૈયતવારી પદ્ધતિ: ઈ.સ.1820માં થૉમસ મૂનરો દ્વારા મુંબઈ અને મદ્રાસમાં દાખલ કરવામાં આવી. જેમાં ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો.
- મહાલવારી પદ્ધતિ: હોલ્ટ મેકેન્ઝીએ ઈ.સ.1822માં દાખલ કરી, જેમાં મહેસૂલનું એકમ આખું ગામ (મહાલ) હતું.
Evalbee OMR સોલ્યુશન
તૈયારી ચાલુ રાખો!
નવા પ્રેક્ટીસ પેપર્સ સાથે તમારી NMMS તૈયારીને ગતિ આપો